ભય | Fear | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar
ભય - Fear
ભય જ વિનાશ અને પાપનું નિશ્ચિત કારણ છે.ભય આપણને માનવ પ્રકૃતિનો અનુભવ કરાવે છે.
ભય કાયમ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે.
માણસ જેનાથી ડરે છે તેને પ્યાર કરી શકતો નથી.
જે તમારી હાજરીમાં તમારાથી ડરે છે, તે તમારી ગેરહાજરીમાં તમને ધિક્કારે છે.
જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
આ સંસારમાં એક ઈશ્વરનો ભય બીજા બધા ભયોમાંથી મુક્ત કરે છે.
ભય એક કર છે જે અંત:કરણ અપરાધને આપે છે.
બહાદુર માણસને મોત જેટલું કારમું લાગે, તેના કરતા કાયર માણસને ભય વધુ કારમો લાગે છે.
ચિંતા અને ભયથી મુક્ત રહીને જીવન જીવી જવામાં ભારે ખૂબી રહેલી છે.
માણસ ગમે તેટલી mountain Dew પી લે પણ જયારે...ખરેખર ડર લાગે છે ત્યારે તેને હનુમાન ચાલીસા જ યાદ આવે છે.
જયાં ઇચ્છાશકિતનું કદ મોટું હોય છે,
ત્યાં પડકારો આપોઆપ નાના થઇ જાય છે. .
સામે ઊભેલો પહાડ નહી...
જુતામા રહેલો કાંકરો ચઢાઇમા થકવી નાંખે છે...
Comments
Post a Comment