Posts

કર્મ | Activity | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

કર્મ - Activity એવું એકજ સ્થળ છે જ્યાં કર્મ પહેલા સફળતા આવે છે. અને એ છે ડીક્ષનેરી. ઈશ્વર તરફ આગળ વધવું તે કે શુભ કાર્ય છે. ભાગ્યનું બીજું નામ કર્મ છે કર્મોનુસાર ફળ ભોગવાનો સિધ્ધાંત અફળ છે કર્મ તો કામધેનું છે, એને દોહતા આવડે તો આનંદરૂપી દૂધ મળે છે. કર્મ સફળતાની ગેરેંટી નથી પરંતુ તેની તકો ઘણી વધારી આપે છે. કર્મોનો ધ્વની શબ્દોથી ઉંચો હોય છે. સ્વપ્નાને સાકાર કરવામાં કોઈ જાદુ કામમાં નથી લાગતું, ત્યાં કર્મ જ કરવા પડે છે. કર્મ એ જીવન માટે આવશ્યક છે. હાલ તુરત જે નાના કામ તારી સામે આવ્યા હોય તે કરવા માંડ, પછી મોટા કામ તને શોધતા આવશે. જેવુ કર્મ તેવુ ફળ ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ. કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેના હદયમાં છે તેના કર્મ માં સુગંધ હોય છે. શિક્ષણનો સર્વોચ્ચ ઉદ્દેશ જ્ઞાન નહીં પણ કર્મ છે. કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે. ધૃણાસ્પદ કે  નિકૃષ્ટ કર્મોથી મનુષ્યનુ પતન થાય છે. મનુષ્ય જે કાંઈ પણ મેળવે છે, તે તે...

કીર્તિ | Glory | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

કીર્તિ -    Glory કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી. કીર્તિ વીરતાપૂર્ણ કાર્યોની સુવાસ છે. પ્રતિદ્વંદી દ્વારા કરવામાં આવેલી પ્રશંસા જ સર્વોતમ કીર્તિ છે. કીર્તિ આવે છે ત્યારે સ્મૃતિ અદ્રશ્ય બની જાય છે. કીર્તિ મેળવવા માટે ઘણા સારા કામ કરવા પડે છે, પણ અપકીર્તિ મેળવવા માટે એક જ ખરાબ કામ પુરતું છે. પ્રતિષ્ઠિત પુરુષને માટે અપકીર્તિ મૃત્યુ કરતા પણ વધારે છે. યશનો માર્ગ સ્વર્ગના માર્ગ જેટલો કષ્ટદાયક છે. સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે… બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો…. પેઢીઓ લાગે છે. હજારો વર્ષનો યશ એક દિવસના ચરિત્ર પર નિર્ભર છે. યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ. યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા પ્રસન્ન થાય છે. પોતાના અંતરાત્મા ના અવાજ અનુસાર ચાલવાથી કીર્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે.

ક્રોધ | Angry | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ક્રોધ - Angry ક્રોધ માણસની ઓછામાં ઓછી એક મિનીટ ની ખુશી છીનવી લે છે. Anger (ક્રોધ) એ Danger (ભયાનક) થી એક જ શબ્દ પાછળ છે. જ્યાં ક્રોધ હોય છે ત્યાં હમેશા દુખ હોય છે. ક્રોધ એ એક લાગણી જ છે, જ્યાં શુધી એ તમારા કાબુ માં છે, પછી એ તમને ના ગમતા કર્યો કરાવે છે. ગુસ્સામાં ઉડતા લોકો હમેશા ખરાબ રીતે પછડાતા હોય છે. કામ ને ક્રોધના તોફાની પ્રવાહમાં વહેવાને બદલે જે એનો સંયમ કરે છે અને એનું તટસ્થ રીતે નિરીક્ષણ કરે છે, તે જ સુખી થઈ શકે છે. ક્રોધિત માણસનું મો ખુલ્લું અને આખો બંધ થઇ જાય છે. ક્રોધ મુર્ખતામાં શરુ થાય છે, અને પશ્ચાતાપ માં પરિણમે છે. ક્રોધ એ ઓછા સમયનું ગાંડપણ છે. જયારે જયારે તમે ગુસ્સે થાવ છો ત્યારે ત્યારે તમે તમારા શરીરને ઝેર આપો છો. ક્રોધ કરવો એ અન્યના અપરાધોનો બદલો આપણી જાત ઉપર લેવા બરાબર છે. ક્રોધ એ એવો પવન છે જે તમારા બુદ્ધિના દીવાને ઓલવી નાખે છે. ક્રોધ પર એકવાર નિયંત્રણ કરતા શીખી લો, પછી જીવન કેટલું સરળ અને શાંતિદાયક બની જશે તેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય! ક્રોધ માણસને અંદરથી સળગાવી દે છે. જો તમે ક્રોધની એક ક્ષણ શાંત રહો તો કેટલાયે વર્ષો સુધીના ...

અભિમાન | Proud | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

અભિમાન - Proud અભિમાન એ અધિકાર ભોગવવાની અંતરની ઈચ્છાનો પડઘો છે. બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે. અભિમાન માણસનો શત્રુ છે, મિત્ર નહિ. અભિમાન માણસને ઈર્ષાળુ, હિંસક, ક્રોધી અને સ્પર્ધાત્મક બનાવે છે જે માણસને દુખ જ આપી શકે. માણસ કદાચ બ્રહ્માંડને સમજી શકશે પરંતુ પોતાના અભિમાન ને નહિ: કારણકે સ્વ એ તારાઓ કરતા પણ દુર છે. તમારો અહંકાર બીજાને કદાચ ના ગમે, પણ તમારું તો નુકશાન જ કરે છે. જયારે જયારે કોઈ પ્રસિદ્ધિ પામે છે ત્યારે ત્યારે અહંકાર નામનું કુતરું તેમની પાછળ ફરતું જ હોય છે. અભિમાની માણસથી બીજાનું અભિમાન સહન થઇ શકતું નથી. અભિમાન મિત્રતાને દુશ્મનીમાં ફેરવી નાખે છે. અભિમાન નરકનું દ્વાર છે. અભિમાન એ મૂર્ખતાની પીડા માં એનેસ્થેસિયાનું કામ કરે છે. ધમંડ માણસને ફુલાવી મુકે, પણ તેને કદી ટેકો ના આપે. પૂર્વગ્રહ એ અભિમાન નું જ રૂપ છે અને તે માણસને દુઃખોના દ્વાર પર લઇ જાય છે. અભિમાની માણસ નમ્રતા ધારણ કરે છે, ત્યારે પોતાનું અભિમાન સૌથી વધુ વ્યક્ત કરતા હોય છે. જયારે અહંકારનો ત્યાગ કરવામાં આવે છે ત્યારે દરેક દુખો નો અંત આવી જાય છે અને સમજણ શક્તિની આખો ખુલી જાય છે. ...

ચિંતા | Anxiety | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ચિંતા - Anxiety જો આવનાર પરિસ્થિતિને તમે કંટ્રોલ કરી શકતા હો તો ચિંતા કરવાનું કઈ કારણ નથી અને જો તમે તેમ ના કરી શકતા હો તો ચિંતા કરવાથી થી કોઈ ફાયદો નથી. કાલે જે કરી શકતા હો તે સારી રીતે કરી શકો તે માટે ની ઈચ્છા પ્રભુને અર્પણ કરી અને તેમ કરવાની શક્તિ વિષે પ્રાર્થના કરી આજને જીવી લો. ચિંતા કરવી જ હોય તો ક્રિયા વિષે નહિ પણ નિષ્ક્રિયતા વિષે કરો. ચિંતા સમાન બીજું કોઈ શરીરને શોષનારું નથી. એક વખત તમારા અંતરમાં જુઓ અને ત્યાં કશું ખોટું ના અનુભવો તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. ચિંતા મધમાખી જેવી છે. તેને જેટલી હટાવો તેટલી જ તે વધારે ચોટે છે. ચિંતા એ આવતી કાલ ના દુખોને નહિ પરંતુ આજની શક્તિને ખાલી કરે છે. ચિંતા થી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. ચિંતાને ખોટ કરતો ધંધો જ આપ્યો હોય તો હવે સમય આવી ગયો છે કોઈ બીજું કામ શોધી લેવાનો. ચિંતા એ સમસ્યાની કીમતનું વ્યાજ છે. ચિંતાએ આજ શુધી કોઈ પણ કાર્યને પૂર્ણ કર્યું નથી. જેટલી વધારે પ્રાર્થના કરવામાં આવે તેટલી ચિંતા ઓછી થશે. ચિંતા આખી રાતનો ઉજાગરો કરાવે છે ત્યારે શ્રદ્ધા ઊંધની ચાદર આપે છે. એક મરણપથારી એ પડેલા માણસે કહ્યું: તે...

ગરીબ | Poor | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ગરીબ - Poor અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે સૌથી વધુ ગરીબ છે. ગરીબી ખાનદાની દબાવી શકતી નથી. ગરીબી પ્રગટ કરવી એ ગરીબ હોવા કરતા પણ વધારે કષ્ટદાયક છે. આશાવાદી ગરીબ નિરાશાવાદી ધનિક કરતા વધારે સુખી હોય છે. ગરીબી બધી જાતની કલાઓના અવિશ્કારનું કારણ છે. જેની પાસે ફક્ત પૈસા જ છે તે મનુષ્ય કરતા વધારે ગરીબ કોઈ નથી. જે ગરીબો ઉપર દયા કરે છે તે પોતાના આ કૃત્યોથી ઈશ્વરને ઋણી બનાવે છે. જેની પાસે ધન ઓછું છે તે ગરીબ નથી; પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત હોય છે તે ગરીબ છે. ગરીબ થવું અને ગરીબ દેખાવું આ બંને ઉન્નતી ના કરવા માટેનો નિશ્ચિત માર્ગ છે. ઈશ્વર ગરીબને ગરીબ રાખી એ તપાસે છે કે તેમાં હિંમત છે કે નહિ.

ખુશી | Joy | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ખુશી - Joy સાચી ખુશી આપવામાં છે, લેવા તથા માંગવામાં નથી. ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે. ખુશી મહેનતથી આવે છે, અસંયમ અને આળસથી આવતી નથી. મનુષ્ય કામને ચાહે તો તેનું જીવન સુખી થઇ જાય છે. દુન્વાઈ ચીજોમાં સુખ શોધવું નકામું છે. ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે. પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે. પ્રસન્નતા આત્માનું સ્વાસ્થ્ય છે અને ગમગીની આત્માનું ઝેર છે. પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે. પ્રસન્ન ચિત વાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. જીવનમાં નાની નાની વાતોમાંથી ઘણી શીખી શકાય છે અને તેનાથી પ્રસન્નતા પણ ઘણી મળે છે.