ધર્મ | Religion | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar
ધર્મ - Religion
સાચો ધર્મ હૃદય ની કવિતા છે, તેમાં જ તમામ સદગુણો વિકસી શકે છે.ધર્મ જીવનથી અલગ નથી. જીવન એ જ ધર્મ છે. ધર્મ વિનાનું જીવન મનુષ્ય જીવન નથી પરંતુ પશુ જીવન છે.
ધર્મ માનવીના અંત:કરણના વિકાસનું ફળ છે. તેથી ધર્મના પ્રમાણનો આધાર પુસ્તક નહિ, અંત:કરણ છે.
ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે.
ધર્મજ્ઞાન ની પ્રાપ્તિ બહરની દુનિયાને જાણવાથી નથી થતી પણ અંદરની દુનિયાને જાણવાથી થાય છે.
બે ધર્મો વચ્ચે ક્યારેય જગાડો નથી હોતો બધા ધર્મો ની અધર્મો સાથે જ જગાડો હોય છે.
પ્રેમ ભરી ભાષા એ જ ધર્મ ની ખરી ભાષા છે.
જે ધર્મ વિધવાના આંસુ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટલીનો ટુકડો ન મૂકી શકે એ ધર્મ માં શ્રદ્ધા ના રહે.
આપને જાતે મારીને પણ ધર્મ નું રક્ષણ કરવાનું છે.
જેનામાં મનુષ્યતા નથી તેનામાં જરાપણ ધાર્મિકતા નથી.
જેનું મન ધર્મરત છે તેને દેવ પણ નમન કરે છે.
જે ન્યાય ને અનુકુળ છે તે કડી ધર્મ ની વિરુદ્ધ ના હોઈ શકે.
ધર્મ નું લક્ષ્ય છે અંતિમ સત્ય નો અનુભવ.
યજ્ઞ, દાન અને તપ એ ધર્મના ત્રણ સ્તંભો છે.
કોને સ્મરીને હું તને ભુલું ?
હવે આ દૂનિયામાં કોણ તારી તોલે છે ?
વેલેન્ટાઈન ડે જો પૂરો થઈ ગયો હોય તો, બધાં જમી લેજો, કોઈની યાદમાં ભૂખ્યા નો રહેતા, કોઈ સાથે નહિ આવે ખાધું પીધું સાથે આવશે.
માઁ વગરનું બાળક જ્યારે ઝબકીને જાગી જતું હશે,
ત્યારે કોણ એની હાંફતી છાંતી પર હાથ મુકતું હશે..??
Comments
Post a Comment